આધ્યાત્મિક અનુભવોના મુખ્ય પ્રકારો


આધ્યાત્મિક અનુભવોના મુખ્ય પ્રકારો:


આધ્યાત્મિક જ્ઞાન જો અનુભવજન્ય ન હોય તો તે શું કામનુંતેથી મહામતિના ધણી શ્રી પ્રાણનાથજીની તારતમ વાણી ક્ષરઅક્ષર અને અક્ષરાતીત - આ તમામ સ્તરોના ચેતના પ્રદેશો સંબંધી તત્વજ્ઞાનની સ્પષ્ટતા કરવાની સાથે સાથે (એટલે કે મેટાફિજિક્સ સમજાવીને) પછી ઉચિત વિધિથી ધ્યાન (મેડિટશનચિતવન) દ્વારા તે સર્વે ચેતના સ્તરો પર થતી સીધી અનુભૂતિઓ (ડાયરેક્ટ એક્સપીરિયન્ન્સીસમિસ્ટિસિઝમ)ને પણ વર્ણવે છે.

 

આમતેઓ આપણને એ બાબત સ્પષ્ટ સમજાવે છે કે આત્મ-જાગૃતિના માર્ગે આધ્યાત્મિક જ્ઞાન (સ્પિરિચુઅલ ઇન્ટેલિજન્સ) સાથે જ્યાં સુધી સીધો આધ્યાત્મિક અનુભવ (સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ) જોડાયેલો ન હોય તો તે અર્થહીન બની રહે છે.

 

તેથી શ્રી મહામતિજીમાં બિરાજમાન શ્રી ઇન્દ્રાવતી (પરાત્મ)ની સુરતા (આત્મા) પાતાળથી પરમધામનું વિરાટ પટ દર્શન સમજાવતાં સમજાવતાં (એટલે કે તમામ ધાર્મિક તત્વ જ્ઞાનની ધારાઓને એક તારતમ્ય શ્રૃંખલામાં જોડતાં) વચ્ચે આવતાં તે દરેક સ્તરોની અનુભૂતિઓ કરાવતાં આપણને સ્વલીલા અદ્વૈત પરમધામનું દર્શન કરાવે છે. તે પોતે સર્વે અસ્તિત્વોની સમગ્રતાનો સાક્ષાત્કાર કરી તેમને પાર પણ કરી સર્વોચ્ચ શિખરની અનુભૂતિ કરી બતાવે છે અને આપણને તેમ કરવા માટે સમજાવે પણ છે.

 

ઘણી વાર વ્યવહારમાં આપણે માત્ર તત્વજ્ઞાનાત્મક મનન (એટલે કે બ્રહ્મમાયાઅને આત્માના સ્વરૂપનો વિચાર) કરી ત્રીજા પુરુષ તરીકે તારતમ વાણી મંથન કરતા રહીએ છીએ. અને આધ્યાત્મિક સાધના (એટલે કે ધ્યાનપરમધામનો સાક્ષાત્કારઅને પરમ પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ)માં આગળ વધવાની હિંમત નથી કરતા. બીજા શબ્દોમાં, પ્રથમ પુરુષ સીધા અનુભવની આવશ્યકતાની અવગણના કરે છે.

 

તેથી જાગણીનાં આ બંને પાસાંઓની પરસ્પર પૂરકતાના લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ. એવું પણ જોવા મળે છે કે ઘણો બધો સુંદરસાથ વર્ગ દિવ્ય દર્શન કરવાના લોભમાં કે ઉતાવળમાં માત્ર આધ્યાત્મિક સાધના (ધ્યાન, ભાવ વિભોર બની પોતાને અનુકૂળ સેવા આદિ) કર્યા કરે છે અને તેઓ વળી તત્વજ્ઞાનની છડેચોક ઉપેક્ષા કરતા પણ જોવામાં આવે છે.

 

ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખી આજે આપણે વિવિધ ધ્યાનની અનુભૂતિઓ વિશે સંક્ષિપ્તમાં સરળ રીતે વિચાર કરીશું. આ અનુભૂતિઓ સ્થૂળ જગતની હોય કે શુક્ષ્મ જગતની હોય કે પછી કારણ જગતની હોય કે પછી મહાકારણ કે નિર્મલ ચેતન સ્તરની હોય - તે સર્વેનું ક્યાંક ને ક્યાંક મહત્વ તો છે જ. તે સર્વે અનુભૂતિઓ પરસ્પર વિરોધી નહીંપણ એક ઊંચી અનુભૂતિ તરફ જવામાં આધારરૂપ હોય તેમ મારા અનુભવમાં સમજાય છે.

 

 

સૌથી પહેલાં આધ્યાત્મિક કે રહસ્યમય અનુભવ કોણે કહેવાય તે સમજવું જરૂરી છે.


  આનંદિત કરનાર દિવ્ય અનુભૂતિ ત્યારે કહેવાયજ્યારે:

આપણે ચેતનના કોઈક સ્તર સાથે પ્રત્યક્ષ એકતાનો અનુભવ કરીએ, 
શુદ્ધ પરસ્પર જોડાણ અથવા અખંડ એકતાનો અનુભવ કરીએ, 
જે અનુભવમાં બધું એકમાં — અને એકમાં બધું દેખાવા લાગે છે
શુદ્ધ અંતરસંબંધિતતાનો કે અદ્‍ભૂતતાનો અનુભવ થાયજેમાં તમે સહજ બોલી ઊઠો કે - વાઉવાહશું ગજબ છેકહેવું પડેઅતિ સુંદરઅદ્ભુતઆદિ. 
જે પળમાં તમને સમયસ્થાન આદિ ભુલાઈ જાયતમે એ ક્ષણ સાથે એક થઈ જાઓ..

 

સૌ મનુષ્યો જન્મજાત રીતે આ પાંચેય પ્રકારની કુદરતી ચેતનાઓ સાથે જન્મે છેઅને દરેક અવસ્થામાં થયેલ અનુભવ અલગ પ્રકારનો હોય છે

1. સ્થૂલ જાગૃત અવસ્થા
2. સુક્ષ્મ સ્વપ્નાવસ્થા
3. કારણ અવ્યક્ત નિદ્રાવસ્થા
4. તુરિય અવસ્થા અને 
5. તુરિયાતીત અવસ્થા. 

 

પણ શરૂઆતમાં (જન્મતાં) તેઓ માત્ર એક જ સ્થૂલ જાગૃત અવસ્થા વિષે જાગૃત હોય છે: જ્યારે કોઈ વ્યક્તિ આ ઉપરાંતની બીજી કોઈપણ અવસ્થાનું શિખર અનુભવ કરે છેત્યારે એ અલૌકિક ચેતનાવસ્થાઓ સંબંધી અનુભવો તેઓને સામાન્ય રીતે પરલૌકિકતા અથવા અલૌકિકતાથી ભરપૂર લાગતા હોય છે.

 

વિશ્વના વિવિધ ધર્મદર્શનોમાં જોવા મળતી આ મુખ્ય અનુભતિઓ ક્રમશઃ આ પ્રમાણે મૂકી શકાય. તે સમજ્યા બાદ આપણી અનુભૂતિની ઊંચાઈ કે વિશેષતા વિષે આપણે જાણી શકીએ છીએ. 

વિવિધ ધર્મદર્શનોમાં આધ્યાત્મિક અથવા રહસ્યવાદી અનુભવોના મુખ્ય પ્રકારો ક્રમશઃ આ પ્રમાણે મળે છે:


1. પ્રકૃતિ આધ્યાત્મિકતા (Nature Mysticism) – કુદરત સાથે એકતાનો જીવંત અનુભવ


2. દેવતા આધ્યાત્મિકતા (subtle Deity Mysticism)– દેવતાઓનાં સૂક્ષ્મ રૂપો સાથે એકતા કે આધ્યાત્મિક સંવાદ


3. સામાન્ય આદિપ્રતિક આધ્યાત્મિકતા (General Archetypal Mysticism)– આધ્યાત્મિક પ્રતિકો કે પુરાતન સ્વરૂપોનો અનુભવ


4. નિરાકાર આધ્યાત્મિકતા (Formless Mysticism)– કોઇ આકાર વગરના ચૈતન્યનો અનુભૂતિપર્ણ અનુભવ


5. શુદ્ધ ચેતના આધારિત આધ્યાત્મિકતા (Pure Consciousness-only Mysticism)– ફક્ત ચેતનાના નિર્મળ સ્વરૂપનું અનુભવ


6. શુદ્ધ શૂન્યતા આધ્યાત્મિકતા (Pure Emptiness Mysticism) – અંતરશૂન્યસાંકળમુક્ત શાંતિ અને શૂન્યતાનું સાક્ષાત્કાર


7. અદ્વિતીય (અદ્વૈત) આધ્યાત્મિકતા (Nondual Mysticism)– શુદ્ધ તત્વતા (Suchness)યથાર્થતા (Thusness)એકરસતા (One Taste) અથવા પરમ ચેતનાકીય એકતા


8. સ્વલીલા અદ્વૈત (Self-Sportive Nondual mysticism)  તારતમ જ્ઞાન પ્રકાશિત. - એક અદ્વૈત સ્વરૂપ અનેક રૂપો દ્વારા વ્યક્ત થઈ પ્રેમાનદ લીલા વિલાસમાં મગ્ન રહે છે, જ્યાંથી ઉપરોક્ત તમામ પ્રકારની અનુભૂતિઓનું તારતમ્યમાં અવતરણ થતું રહે છે. 

 

1. પ્રાકૃતિક રહસ્યવાદી અનુભૂતિ (નેચર મિસ્ટિસિઝમ): જો તે પ્રકૃતિની ગોદમાં રમવાથી અનુભવાય તો તે પ્રાકૃતિક અનુભૂતિને નેચર મિસ્ટિસિઝમ કહેવાય. આ અનુભૂતિ સાધારણ જાગ્રત અવસ્થામાં સ્થૂળ સ્તર પર સંભવ છેજેની મદદથી વધુ ઊંચી અનુભૂતિઓ તરફ આપણી યાત્રા સંભવી શકે છે.

 જેમ કે શ્રી ઇન્દ્રાવતીજીએ વ્રજરાસપરમધામ શોભા વર્ણનમાં પ્રાકૃતિક શોભાનો આધાર લીધો છે. અરેજાગની લીલામાં પણ હબ્સા મધ્યે વિરહની અભિવ્યક્તિ માટે પ્રકૃતિનાં છ ઋતુઓની સ્થૂળ શોભાનો આધાર લઈ સર્વોચ્ચ આધ્યાત્મિક ઉપલબ્ધિનો પોરનો માર્ગ મોકળો કર્યો છે. 

આમજો તમામ સ્થૂલ ક્ષેત્ર સાથેઅર્થાત્ સમગ્ર ભૌતિક અથવા સંપૂર્ણ કુદરતી જગત સાથે કોઈને સર્વજીવનમાં ગુંથાયેલ સીધી અખંડ એકતાનું શિખર અનુભવ થાયતો તે આનંદમય અનુભૂતિ પ્રાકૃતિક રહસ્યવાદી અનુભૂતિ કહેવાય.

2. દૈવી રહસ્યવાદી અનુભૂતિ (ડીએટી મિસ્ટિસિઝમ): જેમાં સ્વપ્નાવસ્થામાં સૂક્ષ્મ જગતનાં વિવિધ દ્રશ્યોછબીઓઅગ્નિમય રૂપોપ્રતિકોપ્રેરણાઓવહેતા વિચારોદેવતાઓ અને દેવીઓની છબીઓ અને વિવિધ પૌરાણિક રૂપો અનુભવાય છેજેમનું કોઈ ભૌતિક કે કુદરતી અસ્તિત્વ નથી હોતુંપણ માત્ર સૂક્ષ્મ ચેતના અવસ્થા જ હોય છે.  અનુભૂતિનું આ ક્ષેત્ર અધિભૌતિકઅલૌકિક કે અધિદૈવિક છે, જેમાં સ્વપ્નસદૃશઅતીન્દ્રિયસુક્ષ્મ અને અલૌકિક દેવતાઓના રૂપ સાથે કોઈને સીધી એકતા અનુભવાય છે. તેને સૂક્ષ્મ દેવતા આધ્યાત્મિકતા" (Subtle Deity Mysticism) કહેવામાં આવે છે. જેસામાન્ય રીતે તીવ્ર પ્રકાશતેજસ્વિતા અને એકતાપ્રેમકરૂણા અનેમોક્ષના ભાવોથી ઓળખાય છે.

3. A: ત્રીજી ઊંચી અવસ્થા "કારણ અવસ્થાકહેવામાં આવે છેજેમાં બેમુખ્ય પરિમાણો હોય છે — રૂપરેખાત્મક (ફોરમલ) અને અરૂપનિરાકાર(ફોર્મલેસ).  અવસ્થા સર્જન(પ્રગટીકરણ) માં ઉદ્ભવતાં સૌ પ્રથમ અને અત્યંત સુક્ષ્મતમ રૂપોનું મૂળ ઘર છે,

 જેને ગ્રીક લોકો'આર્કીટાઇપ' (પ્રારંભિક પ્રતીકોહે છે અને પૂર્વના ઋષિઓ તેને"વાસનાઓતરીકે ઓળખે છેક્ષણપ્રતિક્ષણસર્જનહાર આત્મા જયારેઆખાયે બ્રહ્માંડને ઉત્પન્ન કરતી રહે છેત્યારે સૌથી પહેલાં જે સહાયક રૂપો ઉદભવે છે, જે બ્રહ્માંડના તમામ અન્ય રૂપોના આધારરૂપ બને છે. તેમને આર્કટાઇપ્સ કહેવાય છે.  રૂપોની સીધી અનુભૂતિ સામાન્ય રીતે"પ્રારંભિક પ્રતીકાત્મક આધ્યાત્મિકતા" (Archetypal mysticism) તરીકેઓળખાય છેઉદાહરણરૂપેસગુણ પ્રકારની આધ્યાત્મિક પરંપરાઓમાંઆ પ્રકારના અનુભવો ખૂબ સામાન્ય છે.

3. B: ઉપરોક્ત કારણ અવસ્થાના સૌથી ઊંચા શ્રેષ્ઠતમ સ્તરેપ્રારંભિક આર્કટાઇપલ રૂપો પોતે સંપૂર્ણપણે અરૂપનિરૂપઅને અવ્યક્ત ક્ષેત્રમાં વિલીન થઈ જાય છેએવું કહેવાય છે કે આ ક્ષેત્ર દરેક વ્યક્તિ દ્વારા ગહન સ્વપનહીન નિદ્રા દરમ્યાન અનુભવી શકાય છે. જો કોઈ વ્યક્તિને આ સપનાવિહિન અને અરૂપ અવસ્થાનો સીધોજાગૃત અનુભવ થાયતો પરિણામરૂપે તેને અરૂપ આધ્યાત્મિકતા (અથવા અનંત ખાલીપાની આધ્યાત્મિકતા) કહેવામાં આવે છે. આ અરૂપ ક્ષેત્રને ઘણીવાર "ઈશ્વરથી પરનો ઈશ્વરતરીકે પણ ઓળખવામાં આવે છેઅને આ પ્રકારનો અનુભવ ખરેખર સામાન્ય છે. જેને The Cloud of Unknowing(અજ્ઞાતતાનું વાદળ) તરીકે પણ ઓળખાય છે, તે આજ સ્તરની અનુભૂતિ છે.

4. A. ચોથી અવસ્થા એટલે કે તુરિયાવસ્થા (શુદ્ધ જાગૃતિ અથવા "હું છું"ભાવ, AMness) એક શુદ્ધ જ્ઞાન કે સાક્ષીભાવ છેજે પોતે જ સંપૂર્ણ રીતે વર્ણનાતીત છેકોઈપણ શ્રેણીકરણથી પર (uncategorisable) અને મૂળભૂત રીતે ખાલી અથવા ખુલ્લી અવસ્થા છે. જો ખાસ કરીને આ "સાક્ષી" હોવાનું પાસું (અથવા "હું છું" એવું) અનુભવાયતો તેને શુદ્ધ ચેતનાની આધ્યાત્મિકતા અથવા 'હું છું' આધ્યાત્મિકતા કહેવાય છે. તેને "અદ્વિતીય સ્વ" (યુનિક સેલ્ફ), "મન માત્ર", "વસ્તુવિહિન સનાતન ચેતના", "અંતિમ વિષયત્વ"અથવા "સાચા સ્વ"ની અનુભૂતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. (નોટ: તારતમ જ્ઞાનના પ્રકાશમાં "અંતિમવિષયત્વ"અથવા "સાચા સ્વ"ની અનુભૂતિ પરાત્મ સ્તરે પરમધામમાં થાય છે.)

4. B:  જો તુરિયાવસ્થાના ખાલીપા, openness અથવા તેની વર્ણનાતીતતાપર વધુ ભાર આપવામાં આવે છેતો તે શુદ્ધ શુન્ય આધ્યાત્મિકતા(Pure Emptiness Mysticism)માં પરિણમે છેજે ઘણીવાર અગાઉની અરૂપ આધ્યાત્મિકતાની સાથે ભળી જતી જણાય છે.  આ બંને "નેતિનેતિ" (આ નહિતે નહિ) કે નકારાત્મક રીતે ઓળખવી કે નિર્ગુણ(ગુણવિહિન) પ્રકારની આધ્યાત્મિકતા કહેવાય છે.


5. જો પાંચમી અવસ્થાએટલે કે અંતિમ અદ્વૈત અવસ્થા (તુરિયાતીતમાં જાગ્રત થવાય, તો તે અદ્વૈત આધ્યાત્મિકતામાં પરિણમે છે.  આ અવસ્થાને શુદ્ધ આવાપણું (પ્યોર સચનેસ), એક સ્વાદ (વન ટેસ્ટ) અથવા અંતિમ ઐક્ય ચેતના (અલ્ટિમેટ યુનિટી કોન્સિયસનેસ) કહેવામાં આવે છે. (નોટતારતમ જ્ઞાનના પ્રકાશમાં આ તમામ અવસ્થાઓ ક્ષર સ્તર સુધી સીમિત છે. જુઓ સંલગ્ન ચાર્ટ. અક્ષર સ્તર પર પણ આ અવસ્થાઓ અનુભવી શકાય છે, અને અક્ષરાતીત પરમધામ સ્તરની આધ્યાત્મિકતા સર્વશ્રેષ્ઠ સમજવી.)


મ, આપણે પાંચ મુખ્ય ચેતનાવસ્થાઓમાં જે આધ્યાત્મિક અનુભવો થાય છેતે જોયા.  આ તમામ વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા ઓળખવામાં આવેલ છે. એટલું જ નહીં, તે તમામ સ્તરોની અનુભૂતિઓ થવાનો દાવો પણ તેમણે કર્યો છે.  

વિશ્વભરના સમજદાર સંશોધકોને  સર્વે "જાગૃત થવાના" (વેકિંગ અપઅનુભવોની સમજ તો છે — પણ તેઓ ચેતનાની વિકાસ અવસ્થાઓ (ગ્રોઇંગ અપ) સાથે તે સર્વેનો સંબંધ સ્પષ્ટ રીતે જોઈ (સમજી) શક્યા નથી -કે આ સર્વે "જાગૃત થવાના(વેકિંગ અપ) અનુભવો કેવી રીતે "વિકસવાનીઅવસ્થાઓ ("ગ્રોઇંગ અપ"દ્વારા સમજાવી શકાય છે(નોટ: આ બાબતે વધુ સ્પષ્ટતા પછી ક્યારેક કરીશું. ક્ષર જગતની તુરિયાતીત અવસ્થા પાર કરી તે સર્વે અક્ષરની અવસ્થાઓ પાર કરી પરમધામી અવસ્થાનું સ્વરૂપ કેવું હોય એ તો ખૂબ જ ગહન વિષય છે, જે વિષે ક્યારેક ભવિષ્યમાં વિચાર કરીશું.)    

Comments

Popular posts from this blog

Super Integral Love of Brahmn Srishti Sundersath

Weekly Wisdom Nugget from Mahamati Prannath’s Tartam Vani